આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૧૨ સુધીના બધા વિદ્યાર્થીઓએ ભાગ લેવો ફરજિયાત છે.
વિષય :
(૧) મહાભારતનું યુદ્ધ ૧૦માં દિવસ થી ૧૮ માં દિવસ સુધી
(૨) દ્યુતક્રીડા
(૩) ભીષ્મ
(૪) દ્રૌપદી
(૫) દ્રોણાચાર્ય
(૬) કર્ણ
(૭) વિદુર
(ક) વિદ્યાર્થીઓ ઉપરોક્ત આપેલા બધા વિષય તૈયાર કરશે.
(ખ) સ્પર્ધામાં નિબંધ લેખન માટે કોઈ એક વિષય પસંદ કરવામાં આવશે.
(ગ) ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ ગુજરાતી અને હિન્દી ભાષામાં,
ધોરણ ૯ થી ૧૦ ના વિદ્યાર્થીઓ હિન્દી અને અંગ્રેજી ભાષામાં અને
ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં, પસંદ કરવામાં આવેલ વિષય પર નિબંધ લખી શકશે.
(ઘ) ત્રણેય ભાષામાં 1st , 2nd , 3rd સ્થાન મેળવનાર વિદ્યાર્થીને પ્રમાણ પત્ર, સ્મૃતિચિહ્ન અને રોકડ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવશે.
*पूर्ण: संतु मनोरथाः*